Sunday, December 28, 2008

નદીઍ જીદ પકડી કહ્યું હોત
કે મારે વહેવું નથી
તો ઍ થીજી ગઈ હોત.

પર્વતે જીદ પકડી કહ્યું હોત
કે મારે અડીખમ રહેવું નથી
તો એ ઢગલો થઈને ઢળી પડ્યો હોત.

તરણાઍ જીદ પકડી કહ્યું હોત
કે મારે પ્રકટવું નથી
તો ઍ અંધારામાં ધરબાઈ ગયું હોત.

કેવી ખુશનસીબ છે મીરાં
કે ઍણે આંબલિયાની ડાળ પકડી લીધી
અને એ નદી થઈને વહેવા લાગી
ગિરિ-ધરને હૈયે રહેવા લાગી
ને તરણાની આંખે આકાશને જોવા લાગી.

-સુરેશ દલાલ

No comments:

Post a Comment