હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ।
- મુકુલ ચોકસી .
સારી વસ્તુનુ સદાયે અલ્પ જીવન હોય છે,ફુલથી તેથી જગતમાં લાંબુ જીવાયું નહીં.
- "રાઝ" નવસારવી.
મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
- બેફામ
પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
આજ ભલેને તારી હોડીમજલ કાપતી થોડી થોડી,યત્ન હશે તો વહેલી મોડી, એ જ ઊતરશે પાર, ખલાસી !…
-ગની દહીંવાલા
ઈશ્વરને પણ ભુલાવામાં નાંખી શકે છે,માણસની જાત દોસ્ત, બડી નામચીન છે.
- ભગવતીકુમાર શર્મા
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે
- મરીઝ
દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું
-‘સૈફ’ પાલનપુરી